હું શોધું છું

હોમ  |

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ
Rating :  Star Star Star Star Star   

નિયમ સંગહ નં.(૮) બોર્ડ, પરિષદો, સમિતિઓ અને તેમના ભાગ તરીકે અથવા તેની સલાહના ઉદેૃશથી, બેથી વધુ સભ્યોના બનેલા અને આ બોર્ડ, પરિષદો, સમિતિઓ અને મંડળોની બેઠકો જાહેર જનતા માટે ખુલ્લી છે કે કેમ? અને આવી બેઠકોની કાર્યવાહીનોંધ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે કે કેમ? તે અંગેનું પત્રકઃ-

પોલીસ સલાહકાર સમિતિઃ-

ટ્રાફિકને લગતા ગુન્હા, અસ્પૃશ્યતાને લગતા ગુન્હા તેમજ અન્ય બનતા ગુન્હાઓ સંબંધે જાહેર જનતાનો સહકાર પોલીસને ઉપયોગી થઈ શકે તેવા મુદૃાઓ પરત્વે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા-વિચારણા કરવા તથા તે અંગે પોલીસ ખાતાને સલાહ આપી શકે તે હેતુને ઘ્યાન પર લઈને આ સમિતિની રચના કરવામાં આવેલ છે.

આ સમિતિની બેઠક દર ત્રણ માસે યોજવામાં આવે છે, આ સમિતિની મીટીંગ પોલીસ કમિશ્નરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવે છે અને તેમાં સરકારી અને બિનસરકારી કેટેગરીના સભ્યોની નિમણૂંક બે વર્ષ માટે કરવામાં આવેલ હોય છે. આ સમિતિની બેઠક જાહેર જનતા માટે ખુલ્લી નથી, તેની કાર્યવાહીની નોંધ જાહેર જનતાને આપવામાં આવતી નથી.

શહેર તકેદારી સમિતિઃ-

અનુ.જાતિ અને અનુ.જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ધારા હેઠળ શહેરમાં અનુ. જાતિઓના ઈસમો ઉપર થયેલ ગુનાઓ જેવા કે ખુન, બળાત્કાર, અપહરણ, મહાવ્યથા, ઈજા, અપમાન, ધાક ધમકી વગેરે બનાવોની સમીક્ષા કરવા માટે દર ત્રણ માસે આ સમિતિની બેઠક યોજવામાં આવે છે.

આ સમિતિની મીટીંગ પોલીસ કમિશ્નરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવે છે અને જિલ્લા પછાત કલ્યાણ અધિકારી સભ્ય સચિવ તરીકે સદર સમિતિમાં નિમવામાં આવેલ હોય છે તેમજ આ સમિતિમાં સરકારી અને બિનસરકારી કેટેગરીના સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ હોય છે.

માનવ અધિકારભંગના કેસોના નિકાલ માટેની સમિતિઃ-

માનવ અધિકાર ભંગના બનતા કેશો અટકાવવા માટેની વિચારણા કરવા માટે આ કમિટિની રચના કરવામાં આવેલ છે. જેમાં દર ત્રણ મહીને જેલ કસ્ટડી/ પોલીસ કસ્ટડીમાં બનતા બનાવોની માહિતી મંગાવીને તેની સમીક્ષા કરવામાં આવે છે.

આ સમિતિની મીટીંગ પોલીસ કમિશ્નરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવે છે અનેસિવિલ સર્જન ,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, મહિલા સુરક્ષા સમિતિના ઉપાઘ્યક્ષને સભ્ય તરીકે તથા સંયુકત પોલીસ કમિશ્નર,વહીવટને સભ્ય સચિવ તરીકે સદર સમિતિમાં નિમવામાં આવેલ હોય છે તેમજ આ સમિતિમાં સરકારી અને બિનસરકારી કેટેગરીના સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ હોય છે

શહેર એકતા સમિતિઃ-

અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈય્ન્ટે.) ગુજરાત રાજય, ગાંધીનગરના પત્ર કમાંકઃ ડી.ર/કોમ/સરકયુલ-નકલ/૩પ૬/૦પ, તા. પ.પ.ર૦૦પના પત્ર સાથે બીડેલ સરકારશ્રીના પરિપત્રોમાં જણાવ્યા મુજબ વર્ષ દરમ્યાન આવતા હિન્દુ-મુસ્લીમ તહેવાર જેવા કે રથયાત્રા, મહોરમ વિગેરે વખતે શહેરમાં કોમી એકતા અને કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવો ને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે માટે શહેર કક્ષાએ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવેલ છે. રથયાત્રા, મહોરમ વિગેરે જેવા તહેવાર અગાઉના દિવસોમાં તેમજ કોમી અશાંતિ ફેલાય તે વખતે શહેર એકતા સમિતિની બેઠક ગોઠવવામાં આવે છે.

શહેર એકતા સમિતિની રચના/માળખુ નીચે મુજબ હોય છે.

સરકારી સભ્યોઃ-

૧. મેયરશ્રી - અઘ્યક્ષ

ર. ડે.મેયરશ્રી - નાયબ અઘ્યક્ષ

૩. જિલ્લા મેજીસ્ટેટ - સભ્ય

૪. પોલીસ કમિશ્નર - સભ્ય

પ. મ્યુનિસિપલ કમિશ્નર - સભ્ય

૬. કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડ - સભ્ય

૭. સંયુકત પોલીસ કમિશ્નર, મુખ્ય મથક - સભ્ય

૮. સંયુકત પોલીસ કમિશ્નર,વિશેષ શાખા - સભ્ય સચિવ

બિન સરકારી સભ્યોઃ-

૧. સ્થાનિક સંસદસભ્ય - સભ્ય

ર. સ્થાનિક ધારાસભ્ય - સભ્ય

૩. વિવિધ કોમ/વર્ગનું પનિધિત્વ ધરાવતા શહેરના - સભ્ય

અગગણ્ય નાગરીકો, સામાજીક કાર્યકરો તેમજ

શહેરની વિવિધ સંસ્થાઓના પતિનિધિઓઃ-

શહેર એકતા સમિતિની કુલ સંખ્યા ૪૦ સભ્યોની રહે છે, સમિતિની રચનાનું માળખુ, સભ્ય સંખ્યા, કાર્યક્ષેત્ર, સમિતિની મુદત વિગેરે બાબતોમાં સરકાર તરફથી સમયાંતરે સર્વે સંબંધિતોને ગૃહ વિભાગની યાદી અને પરિપત્રો અન્વયે જરૂરી સુચનાઓ આપવામાં આવે છે. જે મુજબ આવી સમિતિઓની પુર્નરચના કરવામાં આવે છે.

પોલીસ સ્ટેશન કક્ષાએ શાંતિ સમિતિઃ-

વર્ષ દરમ્યાન આવતા હિન્દુ-મુસ્લીમ તહેવાર જેવા કે રથયાત્રા, મહોરમ તથા જુદી જુદી ચુંટણીઓ વિગેરે વખતે શહેરમાં કોમી એકતા અને કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવો ને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે માટે પોલીસ સ્ટેશન કક્ષાએ ''શાંતિ સમિતિ''ની રચના કરવામાં આવેલ છે. રથયાત્રા, મહોરમ વિગેરે જેવા તહેવાર અગાઉના દિવસોમાં તેમજ કોમી અશાંતિ ફેલાય તે વખતે પોલીસ સ્ટેશન કક્ષાએ જ શાંતિ સમિતિની બેઠક ગોઠવવામાં આવે છે.

શાંતિ સમિતિમાં વિવિધ કોમ/વર્ગનું પનિધિત્વ ધરાવતા સ્થાનિક વિસ્તારના અગગણ્ય નાગરીકો, સામાજીક કાર્યકરો તેમજ સ્થાનિક વિસ્તારની વિવિધ સંસ્થાઓના પતિનિધિઓ કે જેઓ યોગ્ય લાયકાત/ચાલચલગત ધરાવતા હોય તેવા ઈસમોની પસંદગી કરવામાં આવે છે.

કોમી વિસ્તારમાં મહોલ્લા સમિતિ

વર્ષ દરમ્યાન આવતા હિન્દુ-મુસ્લીમ તહેવાર તથા જુદી જુદી ચુંટણીઓ વિગેરે વખતે શહેરમાં કોમી એકતા અને કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવો ને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે માટે પોલીસ સ્ટેશન કક્ષાએ મહોલ્લા વાઈઝ ''મહોલ્લા સમિતિ''ની રચના કરવામાં આવેલ છે. રથયાત્રા, મહોરમ વિગેરે જેવા તહેવાર અગાઉના દિવસોમાં તેમજ કોમી અશાંતિ ફેલાય તે વખતે પોલીસ સ્ટેશન કક્ષાએ જ શાંતિ સમિતિની બેઠક ગોઠવવામાં આવે છે.

શાંતિ સમિતિમાં વિવિધ કોમ/વર્ગનું પનિધિત્વ ધરાવતા સ્થાનિક વિસ્તારના અગગણ્ય નાગરીકો, સામાજીક કાર્યકરો તેમજ સ્થાનિક વિસ્તારની વિવિધ સંસ્થાઓના પતિનિધિઓ કે જેઓ યોગ્ય લાયકાત/ચાલચલગત ધરાવતા હોય તેવા ઈસમોની પસંદગી કરવામાં આવે છે. જરૂરીયાત જણાયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહોલ્લા વાઈઝ ''મહોલ્લા સમિતિ''ની બેઠક સ્થાનિક પોલીસ ઈન્સ્પેકટર ઘ્વારા બોલાવવામાં આવે છે.

પોલીસ કર્મચારીઓની દાદ-ફરીયાદ નિકાલ સમિતિઃ-

સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ર૦.૩.૮૯ના ઠરાવ કમાંક પીઈએ-૧૦૮૯-૧૦૭૪-સ અન્વયે પોલીસ ખાતામા કામ કરતા અધિકારી/કર્મચારીઓને તેમની સેવામાં થતા અન્યાયને વાચા આવપ માટે વ્યવસ્થિત અને પરિણામલક્ષી નિર્ણય લઈ શકાય તે હેતુથી દાદા-ફરીયાદ સમિતિની રચના કરેલ છે, જે સમિતિની દર બે માસે બેઠક યોજાય છે.

આ સમિતિની મીટીંગ પણ પોલીસ કમિશ્નરશ્રીના અઘ્યક્ષસ્થાને જ યોજાય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 28-12-2006